દમણ અને દીવ ના લોકલાડીલા સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ આજે મહાત્મા ગાંધીજી ના જન્મોત્શવ નિમિત્તે મોટી દમણ જંપોર વિસ્તાર માં ગ્રામ સભામાં ઉપસ્થિત રહી।

Views: 166
0 0

Read Time:4 Minute, 48 Second

દમણ અને દીવ ના લોકલાડીલા સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ આજે મહાત્મા ગાંધીજી ના જન્મોત્શવ નિમિત્તે મોટી દમણ જંપોર વિસ્તાર માં ગ્રામ સભામાં ઉપસ્થિત રહી મહાત્મા ગાંધી જી ના વિચાર રજૂ કરતા નિ સાથે ગ્રામ સભા માં અધિકારીઓની અનુપસ્થિતિ જોતા એમની ઝાટકણી કાઢી. ગ્રામ સભામાં ઉપસ્થિત પંચાયતી રાજ ના ડેપ્યુટી સેક્રેટરી,જિલ્લા પંચાયત ના પ્રમુખ જાગૃતિબેન કે પટેલ, ડેપ્યુટી સરપંચ સંતોષ હળપતિ સિવાય કોઇ પણ અધિકારી ગ્રામ સભા માં ઉપસ્થિત ન રહેતા સાંસદે તમામ જવાબદાર અધિકારીઓ ની ઝાટકણી કાઢી, સંઘપ્રદેશ દમણ અને દીવ માં ગ્રામ સભા હોય ત્યારે તમામ જવાબદાર અધિકારીઓ એ ઉપસ્થિત રહેવાની ફરજ હોય છે, જેમ કે સૌ પ્રથમ દમણ કલેક્ટર, દમણ જિલ્લા પંચાયત ના મુખ્ય કાર્યકારી અધિકારી, વિકાસ ઘટક અધિકારી, મામલતદાર, અને તમામ વિભાગ ના મુખ્ય અધિકારીઓ એ આ ગ્રામ સભામાં ફરજિયાત ઉપસ્થિત રહેવાનું હોય છે, છતાં પણ આપણા પ્રદેશ માં એ શક્ય બનતું નથી, કેમ કે અહીં બે પ્રકાર ના સંવિધાન ને અમલ માં મૂકવામાં આવેલ છે જેમાં એક આપણા ભારત દેશ દ્વારા સંચાલીત સંવિધાન ચાલે છે અને બીજો સંવિધાન આપણા પ્રશાસન દ્વારા થોપી દેવામાં આવેલ સંવિધાન ચલાવવામાં આવે છે કેમ કે આપણા અધિકારીઓ માત્ર ને માત્ર સંઘપ્રદેશ ના પ્રશાસક ના કાર્યક્રમ માં જ હંમેશા ઉપસ્થિત રહી કાયમી હાજરી આપતા હોય છે, એ અધિકારીઓને પ્રદેશ ની સમસ્યાઓ અને વિકાસ સાથે કોઇ લેવા દેવા નથી, જ્યારે ગ્રામસભા ને પણ બે ભાગ માં વહેચી દેતા હોંય તો એમાં જોવાનું જ શું ? એ એવું કહે છે કે આજે નાની ગ્રામ સભા રાખવામાં આવી છે તો ક્યારે મોટી ગ્રામ સભા રાખવામાં આવી છે, અરે મારા વ્હાલાઓ ગ્રામ સભા ક્યારે નાની કે મોટી હોતી નથી, ગ્રામ સભા તો માત્ર ને માત્ર ગ્રામ સભા જ હોય છે ઈ ક્યારેય નાની કે મોટી હોતી નથી પણ એ અધિકારીઓને પોતાની મનમાની ચક્લાવવા માટે ગ્રામ સભા ને આંખઆડા કાન કરે છે એ લોકો એટલું પણ સમજતાં નથી તો આપણા પ્રદેશ નો કેવી રીતે વિકાસ કરવાના ? અને એ લોકોને આપણા પ્રદેશ ના વિકાસ સાથે કોઇ લેવા દેવા જ નથી, કેમ કે આપણી ગ્રામ સભા માં સમસ્યાઓ નું નિરાકરણ લાવવું અને પંચાયત વિસ્તાર માં નવા પ્રોજેક્ટ નવી નવી યોજનાઓ લાવી ગામ નો વિકાસ કરવા માટે મુખ્ય ચર્ચાઓ કરવાની હોય અને એને અમલ માં મૂકવાની હોય માટે ભારત સરકાર ના યોજના હેઠળ અને માર્ગદર્શન માં ગ્રામ સભા નું આયોજન કરવામાં આવે છે,તમે જોયું હસે છેલ્લા આઠ વર્ષ થી જિલ્લા પંચાયત અને નગર પાલિકા જેવી મુખ્ય સ્થાનીય સ્વરાજ સંસ્થા ને કોઇ વિશેષ ફંડ નહીં આપવામાં આવતું છે અને જિલ્લા પંચાયત ના અને અને નગર પાલિકા ના બંને પ્રમુખોને એ લોકોએ કટપુટલી બનાવી રાખ્યા છે, એ પ્રમુખ માત્ર નામ ના જ રહી ગયા છે , કેમ કે એ લોકો પાસે કોઇ પાવર નથી, કોઇ પણ ફાઈલો એમના કાર્યલય માં આવતી નથી કે જે માત્ર ડિસ્કસ માટે પણ નથી આવતી તો શું પંચાયતી રાજ નો મહત્ત્વ? મહાત્મા ગાંધીજી એ કીધું હતું કે આપણા ભારત દેશ નિ પ્રગતિ ત્યાં સુધી નહીં કરી સકીએ જયાં સુધી પંચાયત રાજ ને સક્ષમ નહીં બનાવીએ ત્યાં સુધી રાષ્ટ્ર નો વિકાસ નહીં થાય, માટે સ્થાનિય સ્વરાજ સંસ્થા ને સંપૂર્ણ પ્રભાર ન મળે ત્યાં શુધી પ્રદેશ નો વિકાસ ન થાય।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like