સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪માં રાજ્યની નગરપાલિકાઓમાં ઉચ્ચ ક્રમાંક મળેલ,રાજ્યની નગરપાલિકાઓમાં ઘન અને પ્રવાહી કચરાનો યોગી નિકાલ થાય, શહેરો સ્વચ્છ અને સુંદર બને તે માટે નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ કાર્યક્રમ ।

આજ રોજ તા.૨૬/૦૯/૨૦૨૫ માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ. જેમાં સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪માં વાપી નગરપાલિકાને રાજયની “અ” વર્ગની નગરપાલિકાઓની કેટેગરીમાં મળેલ પ્રથમ ક્રમાંક બદલ ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વાપી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી યોગેશ ચૌધરીને એવોર્ડ આપી સનન્માનિત કરવામાં આવ્યા તેમજ નિર્મળ ગુજરાત એવોર્ડ અંતર્ગત રૂ.૧.૦૦
કરોડનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો
।
Average Rating