વટારની હાઇસ્કૂલમાં વિધાર્થીઓને બોર્ડ પરીક્ષા બાબતે માહિતી અપાઇ।

વટારની એસ.એસ.બી.ડી.દેસાઈ, હાઇસ્કૂલ ખાતે ધોરણ 10, 12 ના વિધાર્થીઓમાં પરીક્ષાનો ભય દૂર કરવા માટે એન્જોય ધી એક્ઝામ નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તજજ્ઞ વક્તા તરીકે ડૉ. રાહુલ ટંડેલ એ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, પેેપર કઈ રીતે લખવું, વાંચન કેવી રીતે કરવું, કેવા વાતાવરણમાં વાંચન કરવાથી વાંચન ગ્રહણ કરી શકાય તેમજ પ્રશ્નપત્રને વિભાગવાર સમય આયોજન મુજબ કઈ રીતે તૈયારી કરવી, લખાણ કેવી રીતે કરવું, લખાણની પ્રવૃત્તિ વગેરેનું સરળ ઉદાહરણો પૂરા પાડી બાળકોને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડૉ. રાહુલભાઈ ટંડેલ પોતાનો સમય આપીને શાળાના વિધાર્થીઓ માર્ગદર્શન આપવા બદલ શાળાના આચાર્ય ડૉ. નિખિલભાઈ પટેલ તેમજ શાળાના સ્ટાફ મિત્રોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો।
Average Rating