ઓમકચ્છ વાડી ફળીયા ખાતે 36 મુ બ્રાહ્મણ કાચ કુળ પરિવાર નું સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો ।

સ્નેહ મિલન એ સમાજમાં એકતા અને સંસ્કારોનું ચિંતન કરવાનું ઉત્કૃષ્ટ અભિગમ છે. સ્નેહ મિલન કાર્યક્રમ અંગે શ્રી બ્રાહ્મણ કાચ કુળ પરિવાર ના પ્રમુખ ઉમેદભાઈ પટેલ અને ઉપ પ્રમુખ ફુલજીભાઈ પટેલ તેમજ સમાજના અગ્રણીઓ સહીત 1700 જેટલાં લોકો હાજર રહ્યા હતા.પ્રસ્તુત કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને Dr. Vimukh patel તરફથી ટ્રોફી આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા. જેથી કરીને આવનાર સમયમાં વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે વધુ મહેનત કરી પરિવાર અને સમાજનું નામ રોશન કરી શકે એ ઉદ્દેશ્યથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સાથે નાના બાળકો દ્વારા સ્વાગત ગીત, નૃત્ય, આદિવાસી નૃત્ય રજુ કર્યું હતુ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસર વાડી ફળીયા ખાતે યોજાયો હતો, લલ્લુભાઇ જોગીભાઈ પટેલ તફથી ઉપસ્થિત રહેનાર સર્વે દેવદૂર્લભ કાર્યકર્તા મિત્રો, શુભેચ્છકોનો સ્નેહપૂર્વક આભાર વ્યક્ત કરી સાથે સમૂહ ભોજન લઈને છુટા પડ્યા હતા।
Average Rating