*શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ અને એની મહીલા પાંખ ના સહ પ્રયાસ દ્વારા રકતદાન શિબિર નું આયોજન।
*શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ અને એની મહીલા પાંખ ના સહ પ્રયાસ દ્વારા રકતદાન શિબિર નું આયોજન।આજ રોજ તારીખ 8-1-2023 રવીવારે પુરીબેન પોપટલાખા લાયન્સ બ્લડ બેંક ખાતે રક્ત દાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જે સવારે 9-00 વાગ્યે મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રી કપીલ સ્વામી મહારાજ (સલવાવ ગુરુકુળ ના મેને.ટ્રસ્ટી ) વીઆઈએ ના પ્રમુખ શ્રી કમલેશ ભાઈ પટેલ અને સમાજ ના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ શુકલ,અગનેત ભાઈ જાની,શ્રી ચૈતન્ય ભાઈ ભટ્ટ, પ્રમુખ શ્રી મિતેશભાઈ ત્રીવેદી અને મહીલા મંડળ ના પ્રમુખ શ્રીમતી શોભનાબેન પુરોહીત,ઝંખના બેન જાની,હીનાબેન ગોર,માયાબેન ભટ્ટ અને એમના સહયોગી ઓ ની ઉપસ્થિતી માં સનાતની ધર્મ સંસ્કૃતિ ની રીતે મંત્રોચ્ચાર ના ઉચ્ચારણ સાથે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શુભ શરુઆત કરવામાં આવી હતી. શિબિર નો સમય સવારે 9-00વાગ્યે થી 3-00વાગ્યા સુધી અને લક્ષયાંક 100થી વધું રકતદાતા ઓના નામો ની નોંધણી કરવામાં આવી હતી જેમાં થી 14ને અમુક મેડીકલી ફીટ ના હોવાથી રદ્દ કરતાં 83બોટલ રકતદાન થયું હતું. રકતદાતા ઓને સન્માન માં બ્લડ બેંક દ્વારા પ્રમાણપત્ર અને સમાજ દ્વારા સ્મૃતિ રુપે આકર્ષક બેગ ભેટ આપી હતી. અંતે વાગ્યે રક્ત દાન કેમ્પ પુર્ણ કરી પ્રમુખશ્રી મિતેશભાઈ ત્રીવેદી અને એમના સહયોગી એ સૌ ને ફરી મળવા ના કોલ આપી છુટા પડ્યા હતા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating