વલસાડ બી એ પી એસ સ્કૂલ દ્વારા બાળકો નો પરીક્ષામાં આત્મવિશ્વાસ વધારવા સંતો એ વરસાવ્યાં આશીર્વાદ।
વલસાડ સ્થિત બી એ પી એસ સ્વામી નારાયણ સ્કૂલ માં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ નું બોર્ડ પરીક્ષા આપતી વેળા સારું પરિણામ અને આત્મવિશ્વાસ નું પીઠબળ મળે એવા હેતુથી સ્કૂલ દ્વારા વલસાડ ના તિથલ સ્થિત સ્વામિનારાયણ મંદિર માં સંતો ના સાનિધ્યમાં બાળકો પાસે સંતો ના મુખે મંત્રોચ્ચાર કરી સ્વામી ના ચરણો માં જળ અભિષેક ,અમૃત વચન ના પાઠ કરવા માં આવ્યા , અગાઉ પણ ઉત્કૃષ્ટ પરિણામ ના તામમ વિદ્યાર્થીઓ ને પણ સ્વામીજી એ આશિષ આપ્યા અને વધુમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવ્યા છે માટે પોતાનો આત્મવિશ્વાસ માં સ્હેજ પણ ઉણપ ન રહે હું આપની સાથે જ છું એવા સ્વામીજી એ આશિષ પાઠવ્યા છે ને મહેનત જુ ઉત્કૃષ્ટ પરિણામ તમારી રાહ જુએ છે , વલસાડ ના તિથલ સ્થિત સ્વામિનારાયણ મંદિર ના દર્શન લઈ અને જળ અભિષેક ,આરતી કરી સંતો એ વિદ્યાર્થીઓ નો આત્મવિશ્વાસ માં વધારો કર્યો હતો , કાર્યક્રમમાં આશીર્વાદ આપવા પૂજ્ય કોઠારી સ્વામી ,સ્વામીજી ,અને શાળા ના ડાયરેકટર,તેમજ વિદ્યાર્થીઓ અને વાલી ગણ હાજર રહ્યા હતા।
Average Rating