વાપી માં રામ આયેંગે : અયોધ્યાના રામ મંદિરનું મોડેલ આકર્ષણનું કેન્દ્ર બન્યું।
વાપી ધ એલિટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમીની પૂર્વસંધ્યાએ રામ આયેંગે વાપી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીરામના જીવન સંદેશને વાપીના નાગરિકો સુધી પહોંચાડવાનો તથા સ્પાસ્ટિક સેરેબરલ પાલ્સી જેવી ગંભીર બીમારીઓથી પીડાતા ગરીબ બાળકો માટે થેરાપી ફંડ એકત્ર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. આ કાર્યક્રમ હેઠળ રામ રથયાત્રા, સંપૂર્ણ રામાયણ પર આધારિત નાટકનો સમાવેશ કરવામાં આવ્યું હતું. અંબામાતા મંદિરથી રામાયણ આધારિત ઝાંખીઓ સાથે રથયાત્રા નીકળી હતી. જેમાં અયોધ્યાના રામ મંદિરનું મોડેલ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. અંબામાતા મંદિરમાં મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં ટ્રસ્ટના સભ્યો ઉપરાંત વાપીના અગ્રણીઓએ ભાગ લીધો હતો. R.K. Desai કોલેજના મેદાન પર દિલ્હીથી આવેલ સાંસ્કૃતિક કલા સંગમ ટીમ દ્વારા “સંપૂર્ણ રામાયણ” નાટકનું મનમોહક નિર્માણ કરવામાં આવ્યું. વાપીના દરેક શ્રદ્ધાળુઓ અને સંસ્કૃતિપ્રેમી નાગરિકો માટે આ કાર્યક્રમ એક અવિસ્મરણીય ક્ષણ બની હતી. આ સમગ્ર કાર્યક્રમથી જે રકમ એકત્ર થશે તેનો ઉપયોગ સ્પાસ્ટિક સેરેબરલ પાલ્સીથી પીડાતા ગરીબ બાળકોની ફિઝિઓથેરાપી અને સારવાર માટે કરવામાં આવશે।
નેતા: જીગર પટેલસહ-અધ્યક્ષ: ડૉ. અંકિતા ભટ્ટકો-ચેરમેનઃ નરેન્દ્ર ભાનુશાલી સલાહકાર: મયુર શાહ. વિનીત ઓઝા, વિરાજ શાહ, લખન સેન અને વિનીત ઓઝા અને બધા સભ્યોએ સાથે મળીને સખત મહેનત કરી।
Average Rating