કેબીએસ એ નટરાજ કોલેજ ખાતે શિક્ષક દિવસની ઉજવણી।
વાપી: અત્રે ચાણોદ કોલોની સ્થિત કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ, વાપીએ ૫ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત શિક્ષણવિદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના માનમાં શિક્ષક દિવસની ઉજવણી આનંદપૂર્વક કરી. કાર્યક્રમની શરૂઆત તમામ શિક્ષક અને શિક્ષણ સાથે સંકળાયેલ દરેક કર્મચારીઓના હૃદયપૂર્વક સ્વાગત સાથે થઈ, ત્યારબાદ ડૉ. રાધાકૃષ્ણનને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. વિદ્યાર્થીઓએ જીવન અને સમાજને ઘડવામાં શિક્ષકોની અમૂલ્ય ભૂમિકા પર પ્રકાશ પાડતા શિક્ષકો માટે કેક કટિંગ,સાંસ્કૃતિક કાર્યક્રમ, ગીત અને સ્મૃતિ ભેટ દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. પ્રશંસાના સંકેત તરીકે, વિદ્યાર્થીઓએ વિવિધ મનોરંજક રમતોનું આયોજન કર્યું અને વર્ગો ચલાવવામાં શિક્ષકોની ભૂમિકા ભજવી, આનંદ અને આદરનું વાતાવરણ બનાવ્યું. આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે સભાને સંબોધન કરતા શિક્ષકોના સમર્પણ, સખત મહેનત અને માર્ગદર્શનને બિરદાવ્યું હતું. વિદ્યાર્થી પ્રતિનિધિઓ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન, આભારવિધિ સાથે ઉજવણીનું સમાપન કરવામાં હતું. આ કાર્યક્રમ ખરેખર શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે આદર, સ્નેહ અને પ્રેરણાના બંધનને પ્રતિબિંબિત કરે છે।
विज्ञापन
Average Rating