આજ રોજ તારીખ 5 નવમ્બર બુધવાર શ્રી ગુરુનાનક દેવજી ના જન્મ જયંતિ જે પ્રકાશ પુરબ તરીકે ઉજવાય છે આ પાવન અવસરની સમગ્ર વિશ્વમાં ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે।

આજ રોજ તારીખ 5 નવમ્બર બુધવાર શ્રી ગુરુનાનક દેવજી ના જન્મ જયંતિ જે પ્રકાશ પુરબ તરીકે ઉજવાય છે આ પાવન અવસરની સમગ્ર વિશ્વમાં ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે। જેમા આ પર્વ નિમિત્તે ગુજરાત ના તમામ ગુરુદ્વારામાં સવારના ચાર કલાકથી કીર્તન સમાગમ અને સમગ્ર સંગત ત્યાં માથા ટેકવીને ગુરુના શુભ આશિષ લઈ રહ્યા છે સાથે તમામ ગુરુદ્વારામાં લંગર ની વ્યવસ્થા કરવામાં આવેલ છે આજના આ અવસર પર તમામ ભક્તો કીર્તન સમાગમનો લાભ મોડી રાજ સુધી લેશે અને સમગ્ર ગુરુદ્વારાઓ ફૂલોથી શણગારવામાં આવેલ છેઆ પ્રસંગે ગુરુદ્વારા શ્રી ગુરુ ગ્રંથ સાહેબ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એવમ કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશભાઇ પટેલ ગુરુદ્વારામાં માથા ટેકી ને આશીર્વાદ પ્રાપ્ત કર્યા જેમના સ્વાગત પરમજીત કૌર છાબડા એવમ ગુરુદ્વારા ના અધ્યક્ષ ગુરુપરીતસિંગ ઢિલ્લન દ્વારા કરવામાં આવ્યું સાથે મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશ ઠાકોર, એવમ ગાંધીનગર ભાજપ પ્રમુખ આશિષભાઈ દવે ઉપસ્થિત રહ્યા ભારતના રાગી જથ્થાઓ જે સમગ્ર ભારતમાં કીર્તન કરે છે તે આ કીર્તનને વધુ ભક્તિમય બનાવશે સાથે તમામ સંગત ગુરુદ્વારા સાહેબમાં ભેગા થઈને એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે આ પ્રકાશ પૂરબ પર “શીખ ફાઉન્ડેશન “ગુજરાતના પ્રેસિડેન્ટ પરંમજિત કૌર છાબડાએ સમગ્ર ગુજરાતવાસીઓ ને શુભેચ્છાઓ પાઠવી છે અને ગુરુનાનક દેવજીના સંદેશામાં મનુષ્ય જાતિ એક જ છે તે સર્વોપરી છે તે સંદેશા પર આપણે ચાલીને આપણા જીવનને સફળ કરીએ આ પાવન અવસર નિમિત્તે શ્રી ગુરુનાનક દેવજી ના પ્રકાશ પુરબને સમર્પિત” શીખ ફાઉન્ડેશન” દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે સવારથી રાત સુધી ચાલશે સમગ્ર વિશ્વમાં આ પ્રકાશ પુરબ ખૂબ ધૂમધામથી મનાવવામાં આવે છે પરમજીત કૌર છાબડા પ્રેસિડેન્ટ “શીખ ફોઉન્ડેશન ” ગુજરાત Ex ડાયરેક્ટર ગુજરાત માઇનોરિટી કોર્પોરેશન
Average Rating