રાજ્યની બધી શાળાઓ સુધી “સંસ્કૃતકક્ષ” યોજનાનું લોકાર્પણ માનનીય શિક્ષણમંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાના વરદ હસ્તે રાજ્ય સંસ્કૃત બોર્ડના માનનીય અધ્યક્ષ શ્રી હિમાંજય પાલીવાલજીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું।

વસંત પંચમી – વાગ્દેવી ઉપાસના દિને સરકાર શ્રી દ્વારા રાજ્યની શાળાઓને “સંસ્કૃત કક્ષ”ની ભેટ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના દેવભાષા સંસ્કૃતના ઉત્થાન માટેના શુભ વિચારો હવે છેક રાજ્યની બધી શાળાઓ સુધી “સંસ્કૃતકક્ષ” યોજનાનું લોકાર્પણ માનનીય શિક્ષણમંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાના વરદ હસ્તે રાજ્ય સંસ્કૃત બોર્ડના માનનીય અધ્યક્ષ શ્રી હિમાંજય પાલીવાલજીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.આ પ્રસંગમાં સંસ્કૃત બોર્ડના સદસ્ય શ્રી ડૉ.આશિષ જનકરાય દવે, ખાસ ફરજ પરના અધિકારીશ્રી ડૉ.સંદીપ ભટ્ટ, સાહિત્યકાર શ્રી ડૉ.કનૈયાલાલ ભટ્ટ, સાથે સંસ્કૃત બોર્ડના તમામ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા સંસ્કૃતપ્રેમી જનસમુદાયને અપીલ કરે છે કે તેઓ બોર્ડની આ યોજનાઓમાં સક્રિય રીતે જોડાઈ સંસ્કૃત ભાષા તથા ભારતીય જ્ઞાન પરંપરાના સંવર્ધનમાં ગૌરવપૂર્વક સહભાગી બને. સંસ્કૃતકક્ષ તથા અન્ય યોજનાઓમાં જોડાવા ઇચ્છુક સંસ્થાઓએ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ માર્ગદર્શિકા અનુસાર નિયત અરજી ફોર્મ ભરીને નોંધણી કરાવવાની રહેશે. વધુ માહિતી માટે।
Average Rating