ભુતકાળ નો શોક નહિ , વર્તમાન નો મોહ નહિ અને ભવિષ્યની ચિંતા નહિ એ રામકથા નો સારાંશ છે.”-પ્રફુલભાઈ શુક્લ।
ભુતકાળ નો શોક નહિ , વર્તમાન નો મોહ નહિ અને ભવિષ્યની ચિંતા નહિ એ રામકથા નો સારાંશ છે.”-પ્રફુલભાઈ શુક્લ*આજે કોટિયાકનગર રાંદેર રોડ પર કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ ની ૮૨૫ મી રામકથાનો મંગલ આરંભ થયો હતો.એ પૂર્વે ભાવેશભાઈ મુકેશભાઈ પટેલ ના નિવાસે થી ક્રિષ્નાબેન ભાવેશભાઈ પટેલ દ્વારા પોથી યાત્રા સંપન્ન થઈ હતી.કથાનું દીપ પ્રાગટય પૂ.તારાચંદ બાપુ (દેવનારાયણ ગૌ ધામ મોતા) , શ્રી મહેન્દ્રભાઈ કતારગામવાળા , પદ્મ શ્રી કનુભાઈ ટેલર , શ્રી પદ્યુમ્નસિંહ જાડેજા , શ્રી દીપકભાઈ કાશીરામ રાણા , શ્રી અનિલભાઈ બિસ્કિટવાલા ના હસ્તે કરવામાં આવ્યું હતું.પ્રી. બી.એન જોષી (દક્ષિણ ગુજરાત રાષ્ટ્ર સેના પ્રખંડ પ્રમુખ ) , હરિમોહન તિવારી , આહવા આંબાપાડા થી બાપા સીતારામ પરિવારના ભારતીબેન ગાયકવાડ , હેમલતા પટેલ ,વાઘમારે સુમનબેન , રાઠોડ રમીલાબેન , પવાર જયવંતાબેન , વાડુ સુમનબેન , કટારીયા ગૌરાંગ , રામુભાઈ ગાંવીત , રામજીભાઈ ગામીત કથામાં ઉપસ્થિત રહ્યા હતા.અષાઢી નવરાત્રી ના પ્રથમ દિવસનો નવચંડી યજ્ઞ શ્રી પ્રણય ભાઈ રાજપુત ઉધના ના યજમાન પદે સંપન્ન થયો હતો.રાષ્ટ્રસેના દ્વારા આયોજીત ગૌશાળા ના લાભાર્થે રામકથામાં દાતાઓ તરફથી યોગદાન ઘોષિત થયા હતા.કથા આચાર્ય કિશન દવે , ક્રિષ્ન શુક્લ , માક્ષિત રાજ્યગુરૂ અને ઋષિકુમાર ચિંતન જોષી દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.ફેસબુક પર prafulbhai shukla bapu ID પર દરરોજ બપોરે ૩ થી ૬ રામકથા નું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે.અને આ કથાનું ડી-લાઈવ પ્રસારણ પ્રણયભાઈ રાજપુત HIND TV પર બપોરે ૩ થી ૬ કરવામાં આવશે.અંતમાં સાંજે ૬ વાગ્યે ૧૦૮ દિવડાની મહાઆરતી ઉતારવામાં આવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating