વલસાડ જીલ્લાના કુદરતી સૌંદર્યથી ભરપુર પ્રવાસન સ્થળો માટે એસ.ટી. વલસાડ વિભાગ દ્વારા તા. ૦૯/૦૭/૨૦૨૩ થી દર રવિવારે બસો શરૂ કરવામાં આવેલ છે।

Views: 413
1 0

Read Time:1 Minute, 30 Second

તા. ૧૬/૦૭ /૨૦૨૩ ના રવિવાર માટે વલસાડ અને વાપી થી બે નવીન રૂટોની શરૂઆત પર્યટન સ્થળો પાંડવકુંડ (રોહીચાટ તલાટ)વલસાડ જીલ્લાના કુદરતી સૌંદર્યથી ભરપુર પ્રવાસન સ્થળો માટે એસ.ટી. વલસાડ વિભાગ દ્વારા તા. ૦૯/૦૭/૨૦૨૩ થી દર રવિવારે બસો શરૂ કરવામાં આવેલ છે. જે બાબતે મુસા જનતા અને પર્યટનના રસીકો દ્વારા મળેલ પ્રતિસાદ અને સૂચનો ને ધ્યાને લઈ વધુ બે નવીન રૂટ નવા સ્થળો માટે તા. ૧૬/૦૭/૨૦૨૩ થી શરૂ કરવામાં આવનાર છે.પાંડવકુંડ (રોહીચાટ તલાટ)વલસાડ થી પાડી, નાનાપોંઢા, (રોહીયાટ તલાટ) પાંડવ કુંડ, કપરાડા થઈ ચવશાળા ચેકડેમ સાઇટથી સુથારપાડા ગામ માટે પર્યટક બસ શરૂ કરવામાં આવનાર છે. તથા વાપી થીં પારડી, નાનાપોંઢા, પીપરોલ (વેલીવ્યુ), વિલ્સન હીલ, શંકર ઘોધ થઈ મોટી કોરવડ (સુલીયા ડુંગર) નવો રૂટ શરૂ કરવામાં આવનાર છે.વધુ માહિતી માટે ડેપો મેનેજરશ્રી, એસ.ટી. વલસાડનો(૬૩૫૯૯ ૧૮૭૯૭) તથા વલસાડ અને વાપી ડેપો ખાતેસંપર્ક કરી શકાશે.વલસાડ અને વાપી ડેપો ખાતેથી પ્રવાસન સ્થળ માટેની બસો ઉપડશે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like