આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન- વાપીમાં “આદર્શ શિક્ષક”વિષય પર બેસ્ટ ટીચર એવોર્ડ વિજેતા અસરફ ચુડાસમાનું વ્યાખ્યાન યોજાયુ।
આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન- વાપીમાં “આદર્શ શિક્ષક”વિષય પર બેસ્ટ ટીચર એવોર્ડ વિજેતા અસરફ ચુડાસમાનું વ્યાખ્યાન યોજાયુ।આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન – વાપીમાં ગુજરાત સરકાર દ્વારા સને 2010માં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરનાર ખૂબજ ઉત્સાહી એવા શિક્ષણપ્રેમી શ્રી અસરફ ચુડાસમા સાહેબનું “આદર્શ શિક્ષક” વિષય પર રસપ્રદ વ્યાખ્યાન યોજાયુ હતું. કાર્યક્રમની શરૂઆત ગાયત્રીમંત્રના સમૂહગાન થી કરવામાં આવ્યું હતું. બી.એડ કોલેજના આચાર્ય ડૉ.પ્રીતિ ચૌહાણએ અશરફ સરને મીઠો આવકાર આપી પુષ્પગુચ્છ અર્પિત કરીને સન્માનિત કર્યા હતા. સાથે -સાથે શિક્ષક કાળ દરમિયાન તેમણે કરેલી પ્રશંસનીય અનેક કામગીરીઓને બિરદાવી હતી. નિવૃત્તિ પછી પણ અશરફ સર સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેની તાલીમાર્થીઓને ઝાંખી કરાવતા મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. અસરફ ચુડાસમા સાહેબે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં શાળા, શિક્ષણ અને શિક્ષકની એકદમ સરળ ભાષા શૈલીમાં તાલીમાર્થીઓને સમજ આપી હતી. “આદર્શ શિક્ષક”ના દસ લક્ષણોની પણ વિગતે માહિતી આપી હતી. એક “આદર્શ શિક્ષક”ને શૈક્ષણિક ક્ષેત્રમાં શું ગમે? તેની પણ વિસ્તૃત ચર્ચા કરીને તાલીમાર્થીઓને માહિતગાર કર્યા હતા. ગીત, ભજન, ગરબો, દુહા છંદની ઝલક પોતાના અલગ અંદાજમાં ગાન સાથે રજૂ કરીને તાલીમાર્થી ભાઈ – બહેનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તાલીમાર્થીઓએ પણ ગંભીરતા સાથે આદર્શ શિક્ષક બનવાની ખાતરી આપતા અસરફ સરને જણાવ્યું હતું કે, અમે અમારા આ લક્ષ્યને સિદ્ધ કરવા અથાગ પ્રયત્નો કરીશું. અને આ શૈક્ષણિક સંસ્થાનું નામ અમે રોશન કરીશું. કાર્યક્રમના અંતે સંસ્થાના અધ્યાપક ડો.જયંતીલાલ બારીસ અંતઃકરણથી અસરફ સરનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર, સફળ સંચાલન સૌના સથવારે પટેલ ક્રેની એ કર્યું હતું. આ સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ શુભેચ્છા પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating