આજરોજ કપરાડાના નાનાપોંઢા ખાતેથી ‘ભગવાન બિરસા મુંડાજી’ની ૧૪૮મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સાથે જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ।

Views: 258
1 0

Read Time:1 Minute, 58 Second

આજરોજ કપરાડાના નાનાપોંઢા ખાતેથી ‘ભગવાન બિરસા મુંડાજી’ની ૧૪૮મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સાથે જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ। કરવાનો અનન્ય અવસર પ્રાપ્ત થયો, ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને આવાસની ચાવી, દિવ્યાંગ લાભાર્થીને દિવ્યાંગ કીટ તેમજ સફળતાપૂર્વક ખેતી માટે ખેડૂત અને ખેલ મહાકુંભમાં વિજેતા રમતવીરોનું શાલ ઓઢાડી સન્માન કર્યું.દરેક વંચિત અને જરૂરિયાતમંદોને લાભો અને જાણકારી મળે તે માટે આઝાદીની લડતમાં શહીદી વહોરી અને આદિવાસીઓના કલ્યાણ માટે અનેક કાર્યો કરનાર ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની 148મી જન્મજયંતિ ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે સમગ્ર ભારતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે.ઉપરાંત, આ કાર્યક્રમમાં સૌએ ઝારખંડથી મોદીજીના વર્ચ્યુઅલ કાર્યક્રમનું સીધું પ્રસારણ નીહાળ્યું હતુ. ગરીબ કલ્યાણ અન્ન યોજના અને સંકલિત ડેરી વિકાસ યોજનાના મહિલા લાભાર્થીઓએ પોતાની સાફલ્ય ગાથા જેવા વિવિધ મુદ્દાઓ પર સંવાદ કર્યો.આ દરમિયાન સાંસદ ડૉ કે. સી. પટેલ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, પ્રમુખશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like