વાપીમાં સ્વ.મંજુબેન દાયમાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ મેગા રક્તદાન શિબિરમાં ૫૦૧ યુનિટ રક્ત એકત્રિત કરાયુંવાપી રાજસ્થાન ભવન ખાતે રાજસ્થાન ચેરીટેબલ ટ્રસ્ટ વાપી- સેલવાસ-દમણના સહયોગમાં વાપીના પ્રખર સમાજ સેવિકા અને પૂર્વ નગરપાલિકા સેવિકા સ્વ.મંજુબેન દાયમાની ૧૭મી પુણ્યતિથિ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો. દાયમા પરિવાર દ્વારા યોજાયેલ વિશાળ આ રક્તદાન કેમ્પ ૫૦૧ યુનિટ રક્તદાન રક્તદાતાઓએ કર્યું હતું. શિબિરમાં રક્તદાતાઓનો સન્માન સમારોહ પણ યોજાયો હતો।
રાજસ્થાન ભવનમાં દાયમા પરિવારના બી.કે. દાયમા દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનું ઉદઘાટન બરૂમાળના પૂ. સંતશ્રી વિદ્યાનંદ સરસ્વતિના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વ.મંજુબેન દાયમાની પુણ્યતિથિના દિને વિરહના દિવસને સ્વ.મંજુબેન દાયમાની પૂત્રી પ્રિયા દાયમા અને પરિવારના મોભી બી.કે. દાયમાએ સમાજ સેવાના અવસરમાં ફેરવ્યો હતો. કારણ કે સ્વ.મંજુબેન દાયમા સમાજ સેવી આજીવન રહ્યા હતા. લોકોની જાગૃતિ માટે તેઓ રક્તદાન શિબિરનું આયોજન કરતા હતા. તેમણે મહિલાઓને રક્તદાન માટે જાગૃતિ લાવતા રહેલા, તેમના નિધન બાદ પ્રથમ પુણ્યતિથિએ ૧૦૦ યુનિટ રક્તદાન થયું હતું. આજે ૫૦૧ યુનિટ રક્ત એકત્રિત કરવાની સફળતા મળી છે. રક્તદાન કેમ્પમાં રાજસ્થાન ભાજપ ઉપાધ્યક્ષ મુકેશ દધિચ ઉપસ્થિત રહીને સમાજ સેવાની પ્રવૃત્તિને બિરદાવી હતી. રક્તદાન પુણ્ય રૂપી દાન છે તેવું જણાવ્યું હતું. કાર્યક્રમમાં રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ, રાજસ્થાન ટ્રસ્ટ મોવડીઓ ઉપસ્થિત રહીને રક્ત વિશેનું સન્માન કર્યું હતું. આ કેમ્પમાં દમણ, વાપી, સેલવાસના રક્તદાતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો।
Average Rating