સુરત મા માઁ ભગવતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો।
સુરતના યોગીચોકમાં જમનાબા ફાર્મ મા માઁ ભગવતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ વઁદનીય ભાગવત આચાર્ય પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદા ના અધ્યક્ષ સ્થાને અને કથાકાર પ્રફુલભાઇ શુક્લ ના મુખ્ય મેહમાન પદે યોજાયો હતો જેમાં જ્ઞાતિ પ્રમુખ લલિતભાઈ જાની,, સુરત સમાજ પ્રમુખ નાનુભાઈ જોશી, પૂર્વ પ્રિ્સિપાલ બી, એન, જોશી, પર્વ A, C, P, બી જે જોશી, કેતનભાઈ દવે, લાલભાઈ દવે, કે સી, દવે, ઉમાશંન્કર ગોર, સહિત મોટી સઁખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, આયોજક જે, બી, દવે, રાજુભાઈ દવે, નયન દવે, પાર્થ દવે, ધનસુખભાઈ દવે એ મેહમાનો નું સ્વાગત કર્યું હતું સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મા ભાગ લઇ રહેલા 5 નવ દપત્તિ ને શરદભાઈ વ્યાસ અને પ્રફુલભાઇ શુક્લ એ આશીર્વાદ આપ્યા હતા અને સ્વ: કાંતાબેન દવે નું સ્મરણ કરી ને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા સુંદર વ્યવસ્થા સાથે 111 વસ્તુ કન્યાદાન આપીને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સંપન્ન થયો હતો।
Average Rating