ખેરગામ માં ભારતીય જનતા પક્ષ દ્વારા પ્રફુલભાઇ શુક્લ નું સન્માન થયું।
ખેરગામ માં ભારતીય જનતા પક્ષ દ્વારા પ્રફુલભાઇ શુક્લ નું સન્માન થયું* ,!!વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નવ વરસ ના સુશાશન ના અનુંસંધાન માં આજે ખેરગામ માં ભારતીય જનતા પક્ષ વતી ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ ના હસ્તે સંત કથાકાર પ્રફુલભાઇ શુક્લ નું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભા, જ, પ, પ્રમુખ ચુનીભાઇ પટેલ, શૈલેષભાઇ ટેલર, લીતેશભાઈ ગાવિત, તાલુકા પંચાયત પ્રમુખ પ્રમુખ રક્ષા બેન પટેલ, પ્રશાંત પટેલ,લીનાબેન અમદાવાદી,કાર્તિકભાઈ પટેલ, ચેતનભાઈ પટેલ (યુવા ભાજપ ખેરગામ), આતીશ પટેલ (યુવા મોર્ચા ભાજપ)ઉપસ્થિત રહ્યા હતાં અત્રે ઉલ્લેખનીય છે કે પ્રફુલભાઇ શુક્લ એ 1980થી પ્રથમ પ્રમુખ સ્વ.મકરંદભાઇ દેસાઈ થી લઇ ને બધા જ પક્ષ પ્રમુખો સાથે ઉમરગામ થી અંબાજી અને અંબાજી થી અબડાસા સુધી પ્રચાર પ્રસાર કર્યો છે. 2024 મા ભાજપ , ને 425સીટ મળે એ સંકલ્પ સાથે પ્રફુલભાઇ મહારાષ્ટ્ર, રાજસ્થાન, અને મધ્યપ્રદેશ માં પ્રચાર યાત્રા કરશે.ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે પ્રફુલભાઇ ની રાષ્ટ્ર સેવા ને બિરદાવી અભિવાદન કર્યું હતું મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.”વંદે માતરમ અને ભારતમાતા કી જય “ના પ્રચંડ નાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating