વલસાડ માં મોરારજી દેસાઈ હોલ માં પ્રફુલભાઇ શુક્લ ની “રધુનાથ ગાથા ” નો આરંભ થયો।

Views: 396
1 0

Read Time:2 Minute, 12 Second

વલસાડ માં મોરારજી દેસાઈ હોલ માં પ્રફુલભાઇ શુક્લ ની “રધુનાથ ગાથા ” નો આરંભ થયો!!*વલસાડ બસ ડેપો ની સામે મોરારજી દેસાઈ હોલ માં કથાકાર પ્રફુલભાઈ શુક્લ ની 844 મી રધુનાથ ગાથા માનસ મનોરથી રામ કથાનો આજે મંગલ આરંભ થયો છે આ પૂર્વે મુખ્ય યજમાન લક્ષ્મીબેન કૌશિકભાઈ બારોટ ના નિવાસે થી પોથી યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યા માં ભાવિકો જોડાયા હતા દીપ પ્રાગટ્ય જે. સી.આઈ પ્રમુખ ડૉ. શ્રીકાન્ત કનોજીયા ના હસ્તે કરવામાં આવ્યું હતું કથા નો સમય દરરોજ સાંજે 4 થી 7 રાખવામાં આવ્યો છે રધુનાથા ગાથા નું મંગલા ચરણ કરતા કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ કહ્યું હતું કે કલીયુગ માં ભક્તી જ સુખ ની ખાણ છે પણ તેને સત્સંગ વગર કોઈ પામી શકતું નથી લક્ષ્મીબેન બારોટ દવારા સીતાજી ની અગ્નિ પરીક્ષા માટે આજે પ્રથમ દિવસ નો પ્રશ્ર્ન પૂછાયો હતો યશ્વી બારોટ દવારા જવાલા મુખી માતાજી ની સ્તુતિ કરવામાં આવી હતી કથા આચાર્ય જયનંદ મહારાજ સેલવાસ દવારા પૂજન કરવામાં આવ્યું હતું કૌશિકભાઈ માકડીયા, હર્ષદભાઈ શાહ, જનકભાઈ પરીખ, અખિલ હિન્દ મહિલા પરિષદ નીતાબેન શેઠ, મંત્રી કીર્તિબેન ભાન્ડુટિયા, પૂર્વ પ્રમુખ ડૉ. અલ્કાબેન જોષી, મુકેશભાઈ બારોટ કૌશિકભાઈ બારોટ ના હસ્તે પોથી પૂજન કરવામાં આવ્યું હતું દિપક બારોટ ની સંગીત ટીમ દવારા ભજન ગરબા ની રમઝટ બોલવાઈ હતી ગુરૂવારે કથા માં શિવ પાર્વતી વિવાહ ઉત્સવ ઉજવવા માં આવશે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like