ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 ની પ્રોટોકોલ પ્રેક્ટિસ કાર્યક્રમ દર રવિવારે આઇકોનિક પ્લેસ માં કરવાનું નક્કી થઈ।
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 ની પ્રોટોકોલ પ્રેક્ટિસ કાર્યક્રમ દર રવિવારે આઇકોનિક પ્લેસ માં કરવાનું નક્કી થઈ આવેલ જે સંદર્ભે તારીખ 7 મી મે.ના રોજ રાધાકૃષ્ણ મંદિર ભુલાનગર, પટાંગણમાં ઉજવવામાં આવેલ. આખા દેશમાં ચાલી રહેલ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત દેશના દરેક નાગરિક સ્વસ્થ, નિરોગી અને તંદુરસ્ત રહે, તે લક્ષ્ય સાથે જિલ્લાના પ્રસિદ્ધ સ્થળોમાં યોગ પ્રોટોકોલ પ્રેક્ટિસ કરવામાં આવી રહેલ છે. આ શૃંખલામાં યોગ શિબિર વલસાડ જિલ્લામાં જિલ્લા યોગ કોઓર્ડીનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડે ના માર્ગદર્શનમાં ચાર તાલુકાઓમાં વિવિધ જગ્યાઓ પર રાખવામાં આવેલ જેમાં આપણા વલસાડ તાલુકામાં વાપી જિલ્લા માં ભુલાનગર વિસ્તાર ના રાધાકૃષ્ણ મંદિર ના પટાંગણમાં રાખવામાં આવ્યું. કાર્યક્રમના મંચ સંચાલન જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડે ના માર્ગદર્શન હેઠળ યોગ કોચ શ્રીમતી શીતલ ત્રિગોત્રા, માયાબેન ઘોડગે, અને ગોપાલભાઈ દ્વારા કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન કર્યુ. લોકોએ આ નિ:શુલ્ક શિવિર માં જોડાવીને પોતાના શરીર અને મન બંને તંદુરસ્ત રાખવા યોગ પ્રેક્ટિસ કરી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे ।
Average Rating